Vidhva Sahay Yojana ( વિધવા સહાય યોજના ) વિશે માહિતી.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram ID Join Now

Vidhva Sahay Yojana (વિધવા સહાય યોજના) ગુજરાત સરકાર દ્વારા યોજનાઓ માંથી એક યોજના છે.

Vidhva Sahay Yojana વિશે વિસ્તૃત માહિતી.

1 વિધવા સહાય યોજનાનો હેતુ શું છે.

2 લાભાર્થી માટે પાત્રતા

3 આવક મર્યાદા

4 લાભ કેવી રીતે અપાય છે.

5 અરજી પક્રિયા

6 અરજી કેવી રીતે કરવી

7 હેલ્પલાઇન માટે

1. વિધવા સહાય યોજનાનો હેતુ શું છે.
વિધવા સ્ત્રીઓ પોતાના જીવનમાં સ્વતંત્ર રીતે જીવી શકે તેમજ આત્મનિર્ભર થઈ શકે અને આર્થિક રીતે સારી સ્થિતિમાં પોતાનું જીવન વિતાવે તે આ યોજનાનો હેતુ છે.

2. લાભાર્થી માટે પાત્રતા
આ યોજના ફક્ત ગુજરાત રાજ્યમાં વસવાટ કરતી વિધવા સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવી છે. વિધવા મહિલાની ઉંમર 18 વર્ષ થી લઈ 60 વર્ષ સુધી હોવી અનિવાર્ય છે. આ યોજનાનો લાભ પરિવારની સ્થિતિ આર્થિક રીતે ખરાબ હોવી જોઈએ.

3. આવક મર્યાદા
ગ્રામ્ય સ્તરે ઘરની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી વધુ ના હોવી જોઈએ. શહેરી વિસ્તારમાં ઘરની આવક રૂપિયા 1,50,000 થી વધુ ના હોવી જોઈએ.

4. લાભ કેવી રીતે અપાય છે.
સરકાર વિધવા થયેલી સ્ત્રીઓને દર મહિને નક્કી થયેલી નાણાંકીય સહાય આપે છે. આ સહાયની રકમ દર મહિને 1250 રૂપિયા સુધી આપવામાં આવે છે.

5. અરજી પક્રિયા
અરજદારે નજીકના તલાટી કમ મંત્રીની કચેરી અથવા ICDS કચેરીમાં અરજી કરવાની રહેતી હોય છે. જેમાં જરૂરી દસ્તાવેજમાં વિધવાપતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, બેન્ક પસબુકની નકલ, આવક પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝના ફોટાનો સમાવેશ થાય છે.

6. અરજી કેવી રીતે કરવી
6.1. ઓનલાઈન અરજી કરી શકાય
જો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરી શકો છો. જેમાં ડિજિટલ ગુજરાતની પોર્ટલ પર જઈ અરજી કરી શકો છો.

6.2. ઓફલાઇન અરજી.
તમારું ફોર્મ નજીકના તલાટી કમ મંત્રી અથવા જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં ફોર્મ ભરી સીધી અરજી કરી શકો છો.

7. હેલ્પલાઇન માટે
જિલ્લા અને તાલુકાની સમાજ કલ્યાણ કચેરી.
ડિજિટલ ગુજરાત હેલ્પલાઇન.
ટોલ ફ્રી. 18002335500
email. [email protected]

Leave a Comment